સોમવાર, 19 માર્ચ, 2012

દિવ્ય ભાસ્કરને પૂછવા જેવો સવાલ


27 ફેબ્રુઆરી, 2009ના દિવ્યભાસ્કરમાં નીચે મુજબના સમાચાર છપાયા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ: જૂનાગઢની મહિલાએ લાખોનોતોડ કરી લીધાની ચર્ચા
સ્વામિનારાયણસંપ્રદાયના વડતાલ તાબાના સોરઠના બે અને રાજકોટ જિલ્લાના એક મંદિરોના સાધુઓનીકામલીલા કેમેરામાં કેદ થઈ ગયાની ઊઠેલી વ્યાપક ચર્ચાને પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાંભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. સાધુઓને વાસના સંતોષવા માટે યુવતીઓ પૂરી પાડનારજૂનાગઢની એક નામચીન મહિલાએ કામલીલાના દ્દશ્યોની સીડીના બદલામાં વાસનાંધ સાધુઓપાસેથી લાખોની રકમ ખંખેરી લીધાની ચર્ચા વચ્ચે આ પ્રકરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ટોક ઓફધ ટાઉન બની રહ્યું છે.
પ્રાપ્તવિગતો મુજબ જૂનાગઢના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર સાથે ગાઢ ઘરોબો ધરાવનાર એકએડવોકેટનો એ મંદિરમાં ભારે દબદબો છે. એ એડવોકેટની આંગળી પકડીને એક નામચીન મહિલા એડવોકેટે સાધુ વર્તુળોમાં પગપેસારો કર્યોહતો.
આ નામચીન મહિલાના ગોરખધંધા આખું જૂનાગઢ જાણે છે. પોતાના આ આગવા વ્યવસાયમાં ભારેનિપૂણતા ધરાવતી આ મહિલાએ જૂનાગઢ જિલ્લાના છેક છેવાડાના નગરના સ્વામિનારાયણ મંદિરનામુખ્ય સ્વામીના એક યુવાન અને ધર્મમાં જ આનંદ માનતા શિષ્યને તથા એજ મંદિરના કોઠારીસ્વામીના વિષ્ણુ અવતારનામધારી સમા શિષ્ય ઉપરાંત ગોંડલના સદા આનંદ પ્રમોદમાં રહેતાયુવાન સાધુને લપેટમાં લીધા હતા.
ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનો ધર્મ ભૂલીને વાસનાના રસમાં ડૂબેલા ત્રણે સાધુઓએ એ પછી તો માઝા મૂકી દીધીહતી. અનેક વખત વાસનાના ખેલ ખેલાયા અને એ દરમિયાન યુવતીઓ પૂરી પાડનાર મશહુર મહિલાએસાધુઓની નગ્ન કામલીલા કેમેરામાં કેદ કરી લીધી.

ઉપરોક્ત રીપોર્ટિંગમાંલખાયું છે કે, " ત્રણે સાધુઓ માટે જૂનાગઢની બે અને ઊનાની એક દલિત યુવતીનીવ્યવસ્થા કરવામાં આવી હતી." કયા પુરાવાના આધારે આ રીપોર્ટ લખવામાંઆવ્યો? સ્વામિનારાયણના આવા સાધુઓ લંપટ છે તે તો આખી દુનિયા જાણે છે,પરંતુ આમાં દલિત યુવતીને સંડોવવાની ક્યાં જરૂર હતી? આ રીપોર્ટ લખાયો ત્યારે દિવ્ય ભાસ્કરનો તંત્રી અજય ઉમટહતોા, જે હાલ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં છે. હાલ દિવ્ય ભાસ્કરના તંત્રી પ્રણવ ગોળવેલકરછે. દલિતોએ પ્રણવભાઇને પુછવું જોઇએ કે, કયા પુરાવાના આધારે તમારા રીપોર્ટિંગમાં દલિતયુવતીને સંડોવી? તમારી નાતની જાતની, કોઈ વિપ્ર કન્યા, આબુ રોડ પર રહેતી કોઈ મારવાડી, રાજપુત જાતિની કન્યા પણ હોઈ શકે. શહેરામાં તાજેતરમાં દલિત યુવતી પર ભયાનક બળાત્કારો થયા, પોલિસ અને ભાજપના હોદ્દેદારો સંડોવાયા હતા, ત્યારે તો તમે દિવ્ય ભાસ્કરમાં થયેલા રીપોર્ટિંગમાં યુવતીની જાતિ છુપાવી હતી. તો આવા નાલાયક, લંપટ સાધુઓની કામલીલાના વૃતાંતોમાં દલિતોને ઘસડવાની શું જરૂર હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો