લેબલ પ્રવીણ ગઢવી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રવીણ ગઢવી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, 9 ઑગસ્ટ, 2012

દલિત કવિતામાં વ્યક્ત થતા વિચારો કોના?


 
ગુજરાતી સાહિત્ય અકાદમીએ પ્રવીણ ગઢવીના સંપાદકપદે દલિત કવિતાનો ૧૮૪ પાનાનો દળદાર ગ્રંથ બહાર પાડ્યો. સંગ્રહમાં જાણીતા દલિત કવિઓ નીરવ પટેલ, સાહિલ પરમાર, દલપત ચૌહાણ, બબલદાસ ચાવડા સહિત ઘણા કવિઓની રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગ્રહ ખરેખર ઉત્તમ છે, પરંતુ તેમાં પ્રસ્તાવના પછી અને અનુક્રમની પહેલા ૨૬માં પાને સંપાદક-પ્રકાશકની એક નોંધ મુકવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "કવિતામાં વ્યક્ત થયેલા વિચારો જે તે કવિના છે, તેની સાથે સંપાદક કે ગુજરાત સાહિત્ય અકાદમીને સંબંધ નથી." 

પોર્નોગ્રાફીની ઘણી વેબસાઇટો પર આવા ડિસક્લેમર હોય છે, તેમાં જણાવવામાં આવે છે કે વેબસાઇટ પર આવતા નગ્ન ફોટાઓ સાથે અમારે સંબંધ નથી. એક માણસ સંડાસ બનાવે અને એની ઉપર લખે કે અત્રે ઉત્પન્ન થતી ગંધ સાથે મારે કોઈ સંબંધ નથી. 

મજાની વાત તો એ છે કે આવા પ્રકાશનોના સંપાદકો-પ્રકાશકો ક્યારેય કવિઓની કવિતાઓ છાપતા પહેલા તેમની મંજુરી લેતા નથી, રોયલ્ટીની તો વાત જ છોડો. અને છાપ્યા પછી આવા નકાર-નામા લખવામાં આવે તો એને શું કહેવું? અને આવું લખ્યા પછી સંપાદક પ્રવિણ ગઢવી તમામ કવિતાઓના કોપીરાઇટ તો પોતાની જોડે જ રાખે છે!!!