મંગળવાર, 13 નવેમ્બર, 2012

એક હતા વલી ગુજરાતી

અમદાવાદમાં એક જમાનામાં
કવિ વલી ગુજરાતીની મજાર હતી
 2002માં મજાર તોડી નાંખવામાં આવી
 અને એક મંદિર બનાવવામાં આવ્યું

ભગવાનનું મંદિર હંમેશાં સ્વચ્છ જગ્યાએ
  હોય, પરંતુ પાગલ, કટ્ટરપંથીઓએ વલીની

 મજાર તોડ્યા પછી ઉકરડો ઠાલવવાના
એક ગંદા સ્થળે  હનુમાનનું મંદિર બનાવ્યું

આજે એ સ્થળ એક દલિત દંપતિના જીવન
નિર્વાહનો સ્રોત બન્યું છે. તેઓ આખો દિવસ
 ઉકરડાના ઢગલા વચ્ચે બેસીને દૂધની,
 પ્લાસ્ટિકની થેલીઓ વગેરે અલગ પાડીને
 થેલાઓમાં ભરે છે વેચવા માટે.

અમને જોઇને તેમના થાકેલા ચહેરાઓ પર
 સ્મિત ફરકી ગયું. તેમને ખ્યાલ આવી ગયો,
 કોઇક તો છે જે તેમના માટે લખવા આતુર છે









ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો