બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

કુપોષિત બચ્ચા, મોદી કા શાસન કચ્ચા



ગુજરાતનો કિસાન યુરોપનું પેટ ભરશે, એવું મોદીએ કહ્યું. (એટલે કે) ગુજરાતમાં ધાનના ઢગલાં થશે. (એટલે કે) હાલ ગુજરાત પાસે કમ સે કમ ગુજરાતીઓનું પેટ ભરાય એટલું ધાન તો છે જ. (તો પછી) ગુજરાતના 40 ટકા બાળકો કુપોષિત કેમ છે?

કયાં તો મોદી ગુજરાતના બાળકો સુધી અનાજ પહોંચાડી શકતા નથી અથવા તો એમનું અનાજ ખાઈ જાય છે. જો બાળકો સુધી અનાજ પહોંચાડી શકતા ના હોય તો એમને શાસન કરતા આવડતું નથી અને જો અનાજ ખાઈ જતા હોય તો તેઓ ભ્રષ્ટાચારી છે. એટલે કાં તો તેઓ શાસક તરીકે નમાલા અને નિષ્ફળ છે અથવા હરામખોર છે. ગુજરાતની પ્રજાએ આવા લોકોને શા માટે ફરી ફરી સત્તા પર બેસાડવા જોઇએ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો